ShortNews in English
Adesar: 19.03.2013
Acharya Mahashraman told People Forgiveness, Simplicity, Equanimity is Key Points of Religion.
News in Hindi
આડેસરમાં તેરાપંથના રાષ્ટ્રીય સંતે સંબોધી સત્સં� - સભા: જૈનો ઉમટયા
આડેસર 18 માર્ચ 2013 જૈન તેરાપંથ ન્યુજ બ્યોરો
જૈન શાસનની સાધનાનો સાર સમતા છે. ામતા, મૃદુતા, સરળતા અને સંતોષનો અભ્યાસ કરનારી વ્યકિત આ ગુણના સિંહાસન પર આરૂઢ થઇ શકે છે, તેવું તેરા પંથના રાષ્ટ્રીય સંતે આડેસરમાં યોજાયેલી સભાને સંબોધતાં જણાવ્યું હતું.
સ્વસ્થસમાજ વ્યસનમુકિત અને અહિંસાનો સંદેશ ફેલાવવા ૧૫૦૦ કિ.મી.ની પદયાત્રા કરી ચૂકેલા તેરાપંથના ૧૧મા આચાર્ય મહાશ્રમણજીનું કરછના પ્રવેશદ્વાર આડેસરમાં આગમન થતાં તેમનું સ્થાનિક શ્વેતામ્બર સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરાયા બાદ યોજાયેલી ધર્મસભાને સંબોધતાં આ રાષ્ટ્રીય સંતે કાું હતું કે, ગુસ્સો કરવા કરતાં શાંત રહે અને અહંકારના કરતાં વિનમ્ર રહે તે જ સાચો સાધક છે. આ તકે તેમણે યુવાનોને વ્યસનને જાકારો આપવા તેમજ સ્ત્રીભ્ૃણ હત્યા રોકવા હાકલ કરી હતી.
આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વાઘજીભાઇ પટેલ, જિલ્લા પંચાયત મહામંત્રી પંકજ મહેતા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ શાહ, જિ.પં. પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, ગુમાનસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ આસપાના ગ્રામજનો ઉપસ્થિત રાા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસારિક રીતે મોહન દુગડનું નામ ધરાવતા મહાશ્રમણજીએ સાત વર્ષની વયે પિતા ઝુમરલાલની છત્રછાયા ગુમાવ્યા બાદ ૧૧ વર્ષના હતા ત્યારે દી ાા અંગિકાર કર્યોહતો.
પ્રથમ તસવીરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જૈન ભાવિકો જયારે નીચેની તસવીરમાં ગામમાં પ્રવેશતો પદયાત્રા સંઘ અને બાજુમાં વકતવ્ય આપતા આચાર્ય મહાશ્રમણજી નજરે પડે છે.